Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

આમ્રપાલી બ્રીજના લોકાર્પણ માટે ફાઇનલ ટચ અપાવતા ઉદિત અગ્રવાલ : સ્થળ મુલાકાત

રાજકોટ : શહેરમાં ટ્રાફિકના પ્રશ્નોનું ક્રમશઃ નિરાકરણ લાવવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના પ્રોજેકટ હાથ પર લેવાયેલા છે. જે પૈકી રૈયા રોડ રેલવે ફાટકે અંડરબ્રિજનું કામ પૂર્ણતાના આરે છે. ત્યારે  આજે તા. ૦૭ ના રોજ રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે આ બ્રિજની મુલાકાત લીધી હતી. બ્રિજની કામગીરી નિહાળી તેની સમીક્ષા કરી હતી. આ તકે તેમની સાથે નાયબ કમિશનર ચેતન નંદાણી સહિતના સંબંધિત અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

(4:20 pm IST)