Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

આજથી ૩ દિ' રાજકોટ-અમદાવાદ વચ્ચે ૧૦ ટ્રેનો નહિ દોડે

સુરેન્દ્રનગર-ચમારજ રેલખંડ પર ડબલીંગ કામ સબબ રાજકોટ- ઓખા, અમદાવાદ-રાજકોટ, ઓખા-વિરમગામ-પેસેન્જર ટ્રેન રદ્દ

રાજકોટ તા.૭: પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવીઝન ખાતે સુરેન્દ્રનગર-ચમારજ રેલખંડ પર ડબલીંગ લાઇનનું કાર્ય કરવાને કારણે અમદાવાદ ડિવિઝન અને રાજકોટ ડિવીઝન વચ્ચે દોડનારી ટ્રેનો સંપૂર્ણ પણે રદ્દ રહેશે. તેમ પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્માની યાદીમાં જણાવાયેલ છે.

આ અંગે રેલ્વેની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા. ૦૭ ૫૯૫૫૨ ઓખા-રાજકોટ પસેન્જર, ૫૯૫૪૭ અમદાવાદ-રાજકોટ પેસેન્જર, ૫૯૫૫૧ રાજકોટ-ઓખા પેસેન્જર, તા. ૮નાં ૫૯૫૫૨ ઓખા-રાજકોટ પેસેન્જર, ૫૯૫૪૮ રાજકોટ- અમદાવાદ પેસેન્જર, ૫૯૫૪૭ અમદાવાદ-રાજકોટ પેસેન્જર, ૫૯૫૫૧, રાજકોટ-ઓખા પેસેન્જર, ૫૯૫૦૩ વીરમગામ-ઓખા પેસેન્જર ૫૯૫૦૪ ઓખા-વિરમગામ પેસેન્જર તેમજ તા. ૯નાં ૫૯૫૪૮ રાજકોટ-અમદાવાદ પેસેન્જર ૫૯૫૦૩ વીરમગામ-ઓખા પેસેન્જર, ૫૯૫૦૪ ઓખા-વિરમગામ ટ્રેનો રદ્દ રહેશે.(૧.૨૬)

(4:20 pm IST)