Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

રેસકોર્ષમાં વોકીંગ વખતે બેભાન થઇ જતાં વણકર વૃધ્ધનું મોત

મહાત્મા ગાંધી પ્લોટના વિનોદભાઇ આરએમસીના નિવૃત કર્મચારી હતાં

રાજકોટ તા. ૭: પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતાં વિનોદભાઇ ચનાભાઇ વાઘેલા (ઉ.૬૦) નામના વણકર વૃધ્ધ સાંજે રેસકોર્ષ સ્વીમિંગ પુલ પાસે નવા બનેલા ગાર્ડનમાં વોકીંગ કરતાં હતાં ત્યારે  બેભાન થઇ પડી જતાં કોઇએ તેમના મોબાઇલ ફોનમાંથી તેમના પુત્ર ધ્રુવીનેભાઇને જાણ કરી હતી. વિનોદભાઇને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર વિનોદભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે મ્યુ. કોર્પોરેશનના નિવૃત કર્મચારી હતાં. પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ કે. ડી. પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(11:52 am IST)