Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભાજપના રાજકીય દોરી સંચારથી પોલીસનો દુર ઉપયોગ અટકાવોઃ બ્રહ્મસમાજની રજુઆત

રાજકોટ તા.૬ : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવી અને ભાજપ દ્વારા રાજકીય દોરી સંચારથી પોલીસનો દુર ઉપયોગ થઇ રહ્યાનો આક્ષેપ લગાવી આ બાબત અટકાવવા માંગ ઉઠાવી છે.

આવેદનપત્રમાં જણાવાયુ છે ગત તા.ર ડિસેમ્બરે રાત્રે રૈયા રોડ ઉપર ઇન્દ્રનીલ રાજયગુરૂના બેનરો ફાડવાની ઘટના બાદ તે વખતે ચૂંટણીમાં બ્રાહ્મણ જ્ઞાતિનું પ્રતિનિધિ કરતા ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂના ભાઇ દિવ્યનીલ રાજયગુરૂ ઉપર આવારા તત્વોએ હુમલો કરેલ અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલ. આ ઘટના વખતે પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને રજુઆત માટે ગયેલ ઇન્દ્રનીલ રાજયગુરૂ સહિતના કાર્યકરો ઉપર પોલીસ તુટી પડી હતી અને લાઠીચાર્જ કર્યો હતો ત્યારે આ બનાવમાં સંડોવાયેલ જવાબદારો સામે પગલા લઇ ન્યાયી કાર્યવાહી કરવા માંગ છે.

આ રજુઆતમાં હાર્દિક પંડયા, મિતેષ પંડયા, હસમુખભાઇ ઠાકર, અતુલ પંડયા, યોગેશ રાજયગુરૂ, વિવેક મહેતા વગેરે બ્રહ્મ આગેવાનો જોડાયા હતા.

(4:25 pm IST)