Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

કોલીંગ કરન... રેડીયો મિર્ચીના આર.જે. બન્‍યા કરન જોહર

યુવાનોને રિલેશનશીપ અંગે સલાહ આપશે : રાજકોટના યુવાનો લવ લાઈફ અંગેની પોતાની મૂંઝવણો કરન જોહરને મોકલી શકશે : યુવાનો પોતાના સવાલો ૮૦૭૦૭ ૦૦૭૦૦ નંબર પર મોકલી શકે છે

રાજકોટ : કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ અને દિલવાલે દુલ્‍હનિયા લે જાએંગે જેવી યાદગાર ફિલ્‍મો આપનાર ફિલ્‍મ નિર્માતા કરન જોહર હવે નવા અવતારમાં રેડીયો જોકી તરીકે જોવા મળશે. રેડીયો મિર્ચીના નવા શો કોલીંગ કરનથી કરન જોહર આર. જે. તરીકેની પોતાની સફર શરૂ કરવા જઈ રહ્યા છે.

સાંજે ૮ થી ૧૦ કરન હશે તમારી સાથે...

કોલીંગ કરન શો ખાસ કરીને યુવાનોને ધ્‍યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્‍યો છે. શોમાં કરન બેસ્‍ટ ફ્રેન્‍ડ ફોર એવર બનીને રાજકોટના યુવાનોની લવ લાઈફ અંગેની સમસ્‍યાઓ સોલ્‍વ કરશે. કરનનો શો સોમવારથી શુક્રવાર સાંજે ૮ થી ૧૦ દરમિયાન પ્રસારીત થશે અને રીપીટ બ્રોડકાસ્‍ટ સવારે ૧૦ થી ૧૨ અને બપોરે ૩ થી ૫ દરમિયાન કરાશે.

એક જમાનો હતો જયારે યુવાનો પોતાના ફેવરીટ સ્‍ટાર સાથે સીધો સંપર્ક સ્‍થાપી શકતા નહોતા પરંતુ હવે એવુ નથી. રેડીયો મીર્ચીના શો કોલીંગ કરનના માધ્‍યમથી યુવાનો કરન જોહર સાથે સીધા સંપર્કમાં રહી શકશે. રાજકોટના યુવાનો લવ લાઈફ અને રીલેશનશીપ અંગેની પોતાની મૂંઝવણો ડાયરેકટ કરન જોહરને મોકલી શકે છે. યુવાનો પોતાના સવાલો ૮૦૭૦૭ ૦૦૭૦૦ નંબર પર કરન જોહરને મોકલી શકે છે. તેમ રેડીયો મિર્ચી રાજકોટના પ્રોગ્રામીંગ હેડ શ્રી કુલદીપસિંઘ કલેર (મો.૯૯૦૯૯ ૪૦૮૦૫)ની યાદીમાં જણાવાયું છે.

(4:10 pm IST)