Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભગવતીપરાના દિનેશ ડફલીવાળાનું બેભાન હાલતમાં મોતઃ ગળાફાંસો ખાઇ લીધાની શંકા

ઘરના બધા સભ્યો રાજકિય પક્ષ તરફથી રખાયેલા જમણવારમાં ગયા'તા

રાજકોટ તા. ૬: ભગવતીપરા શેરી નં. ૧૦માં રહેતાં દિનેશદાસ રમેશદાસ રામાવત (ઉ.૪૦) નામના બાવાજી યુવાનને રાત્રે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાણાભાઇ ચીહલા અને રવિભાઇ ગઢવીએ બી-ડિવીઝનમાં જાણ કરતાં પી.એસ.આઇ. કે.આર. ચોટલીયા અને મનોજભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર દિનેશદાસ ચાર ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને ટ્રેનમાં ડફલી વગાડી મુસાફરોનું મનોરંજન કરી ગુજરાન ચલાવતો હતો. તેના મોતથી ચાર પુત્રી અને એક પુત્રએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. રાત્રે પત્નિ, સંતાનો સહિતના પરિવારજનો રાજકિય પક્ષ દ્વારા યોજાયેલા જમણવારમાં ગયા હતાં. ત્યાંથી પરત આવ્યા ત્યારે દિનેશદાસ બેભાન મળ્યો હતો. તેણે ગળાફાંસો ખાઇ લીધાની પરિવારજનોને શંકા હોઇ પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

(12:53 pm IST)