Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ધોરાજીના અપહરણ-ખંડણીના ગુનામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૬ :  ધોરાજીના એચ.ડી. એફ.સી. બેન્કના અધિકારીની પૈસાની ઉઘરાણી બાબતે અપહરણ અને ખંડણીના ગુન્હામાંં ધોરાજી સેસન્સ કોર્ટે પકડાયેલ તમામ આરોપીઓનો જામીન પર છુટકારો ફરમાવેલ હતો.

ધોરાજી વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદી હાર્દિક કિશોરભાઇ ધામેચાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩ર૩, ૩૬૪ (એ), પ૦૪, પ૦૬(ર) ૧૧૪ મુજબરની ફરીયાદ નોંધાવેલ હતી. જે અન્વયે પોલીસ દ્વારા ગત તા. ર૧-૦૮-ર૦ર૦ ના રોજ આ કામના આરોપીઓ (૧) વિવેક કિશોરભાઇ રૂપારેલીયા (ર) રવિ ઉર્ફે ખીમો હેમંતભાઇ પરમાર, (૩) લક્ષ્મણભાઇ ઉર્ફે ખોડાભાઇ કાળાભાઇ ચાવડીયા (૪) ધનજી ઉર્ફે ધર્મેશ રાણાભાઇ ભુંડીયા, (પ) મુન્નાભાઇ ઘુઘાભાઇ જોગરાણાની ઉપરોકત ગુન્હાના કામ સબબ ધોરાજી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. જેઓને કોર્ટમાં રજૂ કરતા તમામ આરોપીઓને ગત તા. ર૧-૦૮-ર૦ર૦ના રોજ જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ત્યારબાદ તમામ આરોપીઓએ પોતાના એડવોકેટ મારફ જામીન પર છુટવા જામીન અરજી ગુજારેલ. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ કરેલ દલીલ અને રજુ રાખેલ વડી અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં રાખી નામ. ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓને (૧) લક્ષ્મણભાઇ ઉર્ફે ખોડાભાઇ કાળાભાઇ ચાવડીયા, (ર) ધનજીભાઇ ઉર્ફે ધર્મેશ રાણાભાઇ ભૂંડીયા (૩) રવિ ઉર્ફે ખીમો હેમંતભાઇ પરમાર, જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો. તેમજ નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા (૧) વિવેક કિશોરભાઇ રૂપારેલીયા  તથા (ર) મુન્નાભાઇ ઘુંઘાભાઇ જોગરાણાને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ રણજીત બી. મકવાણા, એમ.એન. સિંધવ, તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પ્રતિક વાય. જસાણી રોકાયેલા હતા.

(2:57 pm IST)