Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

દિપાવલીની ભેટ

રૈયાધાર આવાસ યોજનામાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે : વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કાલે કાર્યક્રમ

રાજકોટ તા. ૬ : મહાનગરપાલિકા દ્વારા તા. ૭ના બુધવારના રોજ સાંજે ૫ કલાકે રૈયાધાર આવાસ યોજના, રાજકોટ ખાતે દીપાવલીના શુભ દિને સંવેદના કાર્યક્રમ અંતર્ગત કિટ વિતરણ, રૈયાધાર આવાસ યોજનાના લાભાર્થીઓને નળ કનેકશન ફોર્મ વિતરણ કેમ્પ, સફાઈ કર્મચારીઓ માટે મેડીકલ કેમ્પ તથા હેલ્થ ચેક અપ કાર્ડનું વિતરણ, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિડિયોનું લોન્ચિંગ તેમજ ૩૨૪ ટીપર વાનમાં પી. એ. સિસ્ટમ ઇન્સ્ટોલેશન રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર વોર્ડ નં. ૧ આશિષભાઈ વાગડિયા, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, રાજકોટ શહેર ભાજપ મંત્રી ચારૂબેન ચૌધરી, વોર્ડ નં. ૧ ભાજપ પ્રભારી દિલીપભાઈ પટેલ, પ્રમુખ વોર્ડ નં. ૧ રસિકભાઈ બદ્રકીયા, મહામંત્રી વોર્ડ નં. ૧ કાનજીભાઈ ખાણધર, ભાવેશભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.(૨૧.૨૩)

(3:34 pm IST)