Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ભુપેન્દ્ર રોડ ઉપર અંજલીબેનના હસ્તે ''પંકજ જવેલર્સ''નો પ્રારંભ

ર૦મી સુધી ગોલ્ડ અને ડાયમંડ જવેલરીના મેકીંગ ચાર્જ પર ૩પ ટકા ડિસ્કાઉન્ટ ઓફર

રાજકોટઃ શહેરના જાણીતા પંકજ જવેલર્સના નવા શો-રૂમનો ભવ્ય પ્રારંભ થયો છે. શહેરના ભુપેન્દ્ર રોડ પર નવા શો-રૂમનું અંજલીબેન વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. સોની બજારમાં આવેલા પંકજ જવેલર્સ તેની વૈવિધ્ય સભર ડિઝાઇનને લીધે ગ્રાહકોમાં માનીતું બન્યું છે. ધનતેરશના શુભ દિવસે નવા એકસકલુઝિવ જવેલરીનું ડિઝાઇન સાથે સજજ નવો શો-રૂમ ભાજપ મહિલા મોરચાના પ્રભારી તેમજ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંજલીબેન રૂપાણીએ હસમુખભાઇ સોની, નિલેશભાઇ સોની, પંકજભાઇ તેમજ શ્રીકાંતભાઇ સોનીને શુભેચ્છા પાઠવી હતી. આ ઉદ્દઘાટન સમારોહમાં મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તેમજ પ્રદેશ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ સહિત ઉપસ્થિત રહ્યા હતાં. પંકજ જવેલર્સ દ્વારા ગોલ્ડ અને ડાયમંડ જવેલરીના મેકીંગ ચાર્જ પર ૩પ ટકા ડિસ્કાઉન્ટ ઓફર મુકવામાં આવી છે. જે તા. ર૦ નવેમ્બર સુધી ચાલશે. દિવાળીના તહેવાર અને શો-રૂમના ઉદ્દઘાટન પ્રસંગે અવનવી આકર્ષક ડિઝાઇન નિહાળી ગ્રાહકો મોહી થયા હતાં. (૭.ર૩)

(3:32 pm IST)