Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

આહિર સમાજના આરાધ્ય દેવી રામબાઈમાંની જગ્યામાં ગુરૂવારે સ્નેહમીલન- અન્નકૂટ ઉત્સવ

રાજકોટ,તા.૬: સમસ્ત આહિર સમાજના આરાધ્ય દેવી માતુશ્રી રામબાઈમાંની જગ્યા ગામ (વવાણીયા) તા. માળીયા (મી.) જી.(મોરબી) મુકામે પરંપરાગત નુતન વર્ષ તા.૮ને ગુરૂવારે સવારે મંદિર અન્નકુટ ઉત્સવ તથા સ્નેહમિલન અને બપોરે પ્રસાદનું આયોજન કરેલ છે. જેનો લાભ લેવા મહંતશ્રી

જગન્નાથજી મહારાજ, પ્રભુદાસજી ગુરૂ જગન્નાથજી, કિશનદાસજી ગુરૂ જગન્નાથજી દ્વારા નિમંત્રણ અપાાયું છે.

આયોજનને સફળ બનાવવા માતુશ્રી રામબાઈમાં મંદિર ટ્રસ્ટી મંડળ (વવાણીયા)ના શ્રી જગન્નાથજી મહારાજ- વવાણીયા, રાઠોડ ગીગાભાઈ માંડણભાઈ- રાજકોટ, રાઠોડ જશુભાઈ હરીભાઈ- રાજકોટ, ડાંગર રાવતભાઈ લક્ષ્મણભાઈ- રાજકોટ, મિયાત્રા કાનાભાઈ હમીરભાઈ- મોટા દંહિસરા, કાનગડ પ્રવિણભાઈ આપાભાઈ - રાજકોટ, રાઠોડ જેસંગભાઈ મેમાભાઈ- મોટા દંહિસરા, ડાંગર કિશોરભાઈ ઉગાભાઈ- રાજકોટ, ડાંગર મેણંદભાઈ બીજલભાઈ- મોરબી, હુંબલ ચંદુભા ઉગાભાઈ- મોરબી, અવાડીયા દેવાભાઈ પરબતભાઈ- મોરબી, મિયાત્રા જેઠાભાઈ રમુભાઈ- મોરબી, રાઠોડ ઉગાભાઈ સુખાભાઈ- મોરબી, ખાંભરા ધીરૂભાઈ જેસંગભાઈ- મોટા દંહિસરા, રાઠોડ ધીરૂભાઈ હરીભાઈ- બેડી (રાજકોટ), મૈયડ પુનાભાઈ ગોવિંદભાઈ- રાજકોટ, ડાંગર ધીરૂભાઈ સુખાભાઈ- રાજકોટ, મકવાણા અરજણભાઈ બેચરભાઈ- રાજકોટ, ચાવડા રોહિતભાઈ વિક્રમભાઈ- ઈશ્વરીયા, રાઠોડ ભાવેશ લક્ષ્મણભાઈ- વડવાજડી, રાઠોડ જલાભાઈ જશાભાઈ- મોરબી, ડાંગર જેસંગભાઈ દેશાભાઈ (જે.ડી.)- રાજકોટ, બોરીચા દિનેશભાઈ લક્ષ્મણભાઈ- રાજકોટ, હુંબલ પરબતભાઈ ભવાનભાઈ- મોરબી, ડાંગર અમુભાઈ જેસંગભાઈ- મોટીબરાર, કાનગડ દિલીપભાઈ હરીભાઈ- મોરબી, મિયાત્રા ચંદુભાઈ સવાભાઈ- રાજકોટ, રાઠોડ વિજયભાઈ વશરામભાઈ- વડવાજડી, હુંબલ જેસંગભાઈ મુળુભાઈ- મોટા દંહિસરા, મૈયડ પ્રભાતભાઈ મુળુભાઈ- મયુરનગર, મકવાણા કાનજીભાઈ ગોવિંદભાઈ- અલીયાબાળા અને કવાડીયા દિલીપભાઈ દેવરાજભાઈ - મયુરનગર જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:22 pm IST)