Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

શ્રી બાલાજી મંદિરે મારૂતિ યજ્ઞ : ચાંદીના ઢાલ - તલવાર અર્પણ

રાજકોટ : અહિંના સુપ્રસિદ્ધ એવા શ્રી કરણસિંહજી બાલાજી મંદિરે આજે કાળી ચૌદશના દિવસે સવારે શ્રી બાલાજી દાદાનું ખાસ વિશિષ્ટ પૂજન તથા મારૂતિયજ્ઞ મંદિરના મહંત સ્વામી વિવેકસાગરજી અને કોઠારી સ્વામી મુનિવત્સલદાસજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ. બાલાજીદાદાને શુદ્ધ ચાંદીની ઢાલ અને તલવાર અર્પણ કરવામાં આવેલ. નૂતનવર્ષના નવા દિને ૫૦૧ વિવિધ સામગ્રીઓનો અન્નકૂટ ધરાવવામાં આવશે. ભાવિકો બપોરે ૧૨ થી ૭ સુધી દર્શનનો લાભ લઈ શકશે.

આ ધાર્મિક પ્રસંગે ભુપેન્દ્ર રોડ, મુખ્ય રાધારમણદાસજી તથા કોઠારી જે. પી. સ્વામી તથા વંદનીય, તપસ્વી શ્રી હરીચરણદાસજી સ્વામી, શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, તથા શ્રી ભકતવત્સલ સ્વામી તથા બાલાજી હનુમાનજી મંદિરના પૂર્વ કોઠારી શ્રી કાંતિ ભગત (શીઘ્ર કવિ) ઉપસ્થિત રહેલ. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૦)

 

(3:19 pm IST)