Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

અગ્નિસ્નાન કરી લેનારા થોરાળાના વિજયનગરના વનિતાબેનનું મોત

રાજકોટ તા. ૬: થોરાળાના વિજયનગર-૪માં રહેતાં વનિતાબેન જીતેન્દ્રભાઇ પરમાર (ઉ.૪૨) નામના વણકર મહિલાએ ગઇકાલે બપોરે અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમનું રાત્રે મોત નિપજ્યું છે.

વનિતાબેનને સંતાનમાં ૧૬ વર્ષનો પુત્ર છે. તેનું સાસરૂ ગોંડલના ભોજપરામાં હતું. વર્ષો પહેલા પતિને ગંભીર બિમારી ભરખી ગઇ હતી. આવી જ બિમારી તેણીને પણ લાગુ પડી હતી. હાલમાં વનિતાબેન રાજકોટ તેમના ભાઇ સાથે રહેતાં હતાં. બિમારીથી કંટાળી જઇ આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. થોરાળાના પીએસઆઇ પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૦)

(4:30 pm IST)