Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

મણીયાર હોલમાં કાલે ‘કરાઓકે' ઇવેન્‍ટ

જીતુભાઇ પીઠડીયા, ભરતભાઇ ઢાકેશા અને કલાકારો જમાવટ કરશે

રાજકોટ તા. ૬ : જીતેન્‍દ્રકુમાર એન્‍ડ પાર્ટી વીથ ભરતભાઇ ઢાકેશા ગ્રુપ દ્વારા કાલે તા. ૭ ના રવિવારે ‘કરાઓકે ઇવેન્‍ટ'નું આયોજન કરાયુ છે.
અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી બાગ ખાતે આયોજીત આ કરાઓકે ઇવેન્‍ટમાં જીતુભાઇ પીઠડીયા અને ભરતભાઇ ઢાકેશાની સાથે પ્રવિણભાઇ ડાભી, નીરૂબેન ડાભી, ગુલમુખબેન કૌર, સંગીતાબેન ઢાકેચા, મહેશભાઇ ચાવડા, સોનલબેન ચાવડા, નાનજીભાઇ મિયાત્રા, પ્રભુદાસભાઇ રાજાણી (એન્‍કર), સંજયભાઇ પંડયા, હિતાર્થ પંડયા, ભરતભાઇ ગંગાજળીયા અવનવા ગીતોની રજુઆત કરશે.
મણીઆર હોલમાં કાલે તા. ૭ ના રવિવારે રાત્રે ૮.૩૦ થી ૧૨.૩૦ યોજાયેલ આ કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે મેયર પ્રદીપભાઇ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ભાજપના દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, ગુરૂજીશ્રી ચીમનાજી બાપુ, દુઃખી રામદાસ સંપ્રદાય, નિવૃત્ત એ.એસ.આઇ. સુરેશભાઇ મારૂ, ફુલછાબના નરેન્‍દ્રભાઇ ઝીબા, આર.ડી. ઇવેન્‍ટના પરેશભાઇ પોપટ, સુનિલભાઇ શાહ, રાજેન્‍દ્ર ત્રિવેદી વગેરે ઉપસ્‍થિત રહેશે.  

 

(3:48 pm IST)