Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

પૂ. ચંદ્રીકાબાઇ-પૂ. અમીતાબાઇના સાંનિધ્યે શ્રી મનહર પ્લોટ જૈન સંઘમાં લોગસ્સના જાપનો મંગલ પ્રારંભ

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના પ્રભાવશાળી ક્ષત્રીયવંશીયબહુશ્રુત છઠ્ઠા આચાર્યદેવ પૂ. જશાજી સ્વામી સ્વર્ગારોહણ શતાબ્દી વર્ષની તપ-જપ ત્યાગપૂર્વક ઉજવણી ઉપલક્ષ મહાલાભકારી મંગલરૂપ એવા લોગસ્સના જાપના દિવ્ય આયોજન અંતર્ગત શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ શેઠ પૌષધશાળામાં ચાતુર્માસકલ્પ અર્થે બિરાજતા પૂ. જશ-પ્રેમ-ધીર-પારસ પરિવારના સાધક ભગિની બેલડી પ્રખર પ્રવચનકાર પૂ. ચંદ્રિકાબાઇ મ. મધુરકંઠી પૂ. અમીતાબાઇ મ. ની નિશ્રામાં મંગલ પ્રારંભ તથા જૈનશ્રેષ્ઠીઓના વરદ હસ્તે બેનરનું વિમોચન થયેલ.

પ્રત્યેક અષ્ટમીના લોગસ્સલના જાપનો મંગલ પ્રારંભ તથા બેનરનું વિમોચન સંઘપતિશ્રીઓ ઇ શ્વરભાઇ દોશી ચંદ્રકાંતભાઇ શેઠ, ડોલરભાઇ કોઠારી, શશીકાંત વોરા, નંદલાલભાઇ કામદાર, શ્રીમતી જયશ્રીબેન શાહ તેમજ શશીકાંતભાઇ દોશી, વનેચંદભાઇ ભરવાડા, મહેન્દ્રભાઇ દોશી, બકુલભાઇ, મનુભાઇ, રજનીભાઇ મહેતા, જીતેન્દ્રભાઇ અજમેરા, રાજેન્દ્ર વોરા તેમજ મહીલા પાંખના ચંદ્રિકાબેન અને પ્રિતીબેન દફતરીના વરદહસ્તે થેલ.

પ્રાસંગીક ઉદ્દબોધન ઇશ્વરભાઇ દોશી તથા શ્રીમતી જયશ્રીબેન શાહે કરેલ. ઉપસ્થિત સૌનું સ્વાગત સંઘ પ્રમુખ ડોલરભાઇ કોઠારીએ કરેલ. મંગલ પ્રારંભના દિવસે લોગસ્સની જપ સાધનામાં સંઘના પ૮ શ્રાવક શ્રાવિકાશ્રીઓ એ લાભ લીધેલ હતો. તેમ સંઘ પ્રમુખ ડોલરભાઇ કોઠારીની યાદી જણાવે છે. (૭.ર૦)

(4:07 pm IST)