Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

શાબાશ : કોરોના અટકાવવા દાણાપીઠના વેપારીઓએ સ્‍વૈચ્‍છિક સમય મર્યાદા નક્કી કરતા પોલીસ વિભાગ દ્વારા એસોસીએશનનું સન્‍માન કરી પ્રશંસાપત્ર

રાજકોટ : શહેરમાં કૂદકેને ભૂસકે કોરોના સંક્રમણ વધતા દાણાપીઠના ચા - ખાંડ અને કિરાણાના હોલસેલ વેપારીઓએ કોરોના સંક્રમણ અટકાવવા સ્‍વૈચ્‍છાએ દરરોજ સવારે ૮ થી ૫એ મુજબ વેપાર - ધંધાની સમય મર્યાદા નક્કી કરી તેનું ચુસ્‍ત પાલન સ્‍વૈચ્‍છિક રીતે જ શરૂ કર્યુ છે ત્‍યારે પોલીસ વિભાગે આ વેપારી એસો.ના પ્રેરણાદાયી નિર્ણયને આવકારી એસોસીએશનનું સન્‍માન કરી પીઠ થાબડી હતી : તે વખતની તસ્‍વીરમાં એસોસીએશનના પ્રતિનિધિ અને વેપારી અગ્રણી પોલીસ અધિકારી પાસેથી પ્રશસ્‍તિપત્ર સ્‍વીકારી રહેલા દર્શાવે છે.

(5:45 pm IST)