Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કાલે દશનામ ગોસ્વામી સમાજનો પરિવાર પરિચય મીલન

મહંત ઇન્દ્રભારતીજી અને સ્વામી નૃસિંહગીરી મહેતાનું સન્માન : ર૦૦ યુવક-યુવતિઓ ભાગ લેશેઃ દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપનું આયોજન

રાજકોટ તા. ૬ :.. શ્રી દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ રાજકોટ દ્વારા આવતીકાલે તા. ૭ રવિવારે બપોરે ૧ કલાકથી હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે રાષ્ટ્રીય ફલક પર દશનામ ગોસ્વામી સમાજનાં હાઇલી એજયુકેટેડ યુવક અને યુવતિએ માટે પોતાને સમકક્ષ અને યોગ્ય જીવન સાથી મેળવવાનાં મહાયજ્ઞ સ્વરૂપ કાર્યક્રમ 'કહીં ન કહીં કોઇ હૈ પરિવાર પરીચય મિલન-ર૦૧૯' શિર્ષક હેઠળ યોજાશે.

છેલ્લા ૧૯ વર્ષથી દર સાલ જુલાઇમાં યોજાતા આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનાં આ વર્ષે મહામંડળનાં અધ્યક્ષ શ્રી મહેન્દ્રગીરી ડી. ગોસ્વામી, ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને યોજાશે. ઉપાધ્યક્ષ પદે અમૃતગીરી -જુનાગઢ, અને પ્રમુખ સ્થાને યુવા ઉદ્યોગપતિશ્રી હરેશભારથીજી -અમદાવાદ ઉપસ્થિત રહેશે. સમારોહનું દીપ પ્રાગટય શ્રી રમેશગીરી, શ્રી પ્રેમગીરી, પ્રવિણપુરીજી, પ્રફુલગીરીજી, મહેન્દ્રગિરીજી, હરશંભુગીરીજી, ડો. વી. જી. ગોસ્વામી, હિતેષગીરીજી, વિજયપુરીજી તથા શ્રી ચીમનપુરી-અમદાવાદ, શ્રી ધર્મેન્દ્રગીરી-અમરેલી, શ્રી કૃષ્ણગીરી-લીંબડી, ડો. મનીષગીરી-મુંબઇ, હરેશપુરી -સુરત, પ્રો. ડો. રાજેશગીરી-મુંબઇ તથા યુવા ડાયરેકટર વિજયગીરી બાવા -અમદાવાદનાં હસ્તે થશે.

દર વર્ષની પરંપરા મુજબ આ સમારોહમાં દશનામ શિરોમણી પંચ દશનામ જુના અખાડા-કાશીનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ત્થ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ -ઘાંટવડ ત્થા જુનાગઢનાં પરમ આદર્શ પરમ વિભુષિત શ્રી મહંત ઇન્દ્રભારતીજી મહારાજને સન્માનીત કરવામાં આવશે.

આ પ્રસંગે દશનામ વિરલ વિભુતિ સન્માન, દશનામ  દધીચી  અને મહામંડળનાં પ્રેરક, સ્થાપક અને પિતામહ એવા સ્વામીશ્રી નૃસિંહગીરી મણીગીરી મહેતાને મરણોપરાંત એનાયત કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા ફાઉન્ડર પ્રેસિડેન્ટ નિલેશપુરનાં માર્ગદર્શન હેઠળ, પ્રેસીડેન્ટ ગીરીશપુરી, મહેશપુરી, અમુલગીરી, રાજનગીરી, દેવાંગગીરી, સાગરગીરી, કલ્પેશગીરી ત્થા ક્રિએટીવ લેડીઝ કલબનાં કલ્પનાબેન, શિલ્પાબેન, પ્રમુખ ગીતાબેન, સરોજબેન, પલ્લવીબેન, તેજલબેન, શ્રધ્ધાબેન, ઉર્વશીબેન, પુજાબેન, દિપ્તીબેન ત્થા પ્રજ્ઞાબેન જહેમત ઉઠાવી રહ્યા છે.  (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:52 pm IST)