Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

વેલનાથપરામાં વિજકરંટથી દસ વર્ષની બાળા ક્રિષ્ના ડાંગરનું મોત

રાજકોટ તા. ૬: ખોખડદળ નદી પાસે જડેશ્વર સોસાયટીમાં દસ વર્ષની બાળકીનું વિજકરંટથી મોત નિપજ્યું હતું.

જડેશ્વર સોસાયટીમાં રહેતી ક્રિષ્ના માણસુરભાઇ ડાંગર (ઉ.૧૦) સવારે ઘરે કોઇ સ્વીચ ચાલુ કરવા જતાં જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ ગઇ હતી. તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને રાજદિપસિંહે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃતક એક ભાઇથી નાની હતી અને ધોરણ-૫માં ભણતી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે.

(3:39 pm IST)