Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

૪૫૦ ટ્રાફિક બ્રિગેડ્સ માટે રેઇનકોટની વ્યવસ્થા

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બી. એ. ચાવડા અને પી.આઇ. ઠાકરના હસ્તે વિતરણ થયું

રાજકોટઃ ચોમાસાના દિવસો નજીકમાં હોઇ ટ્રાફિક નિયમન માટે હમેંશા રોડ પર ઉભા રહી સેવા આપતાં ૪૫૦ ટ્રાફિક બ્રિગેડ્સને વરસાદમાં હેરાનગતી ન થાય તે હેતુથી શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ અંગત રસ લઇ તમામ બ્રિગેડ્સ માટે રેઇનકોટની વ્યવસ્થા કરી છે. આજે ડીસીપી ઝોન-૨, એસીપી ટ્રાફિક બી.એ. ચાવડા અને પી.આઇ. આર. એસ. ઠાકરના હસ્તે ટ્રાફિક બ્રિગેડ્સને રેઇનકોટનું વિતરણ કરાયું હતું.

(3:38 pm IST)