Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જગન્નાથજી રથયાત્રાનું શિવસેના દ્વારા સ્વાગત

અષાઢી બીજ નિમિતે ખોડીયાર આશ્રમ કૈલાસધામ નાનામૌવા ખાતેથી નિકળેલ રથયાત્રા ત્રિકોણબાગ ખાતે આવી પહોંચતા શિવસેના દ્વારા ફુલ હાર કરી સ્વાગત કરાયુ હતુ. એજ રીતે ઇસ્કોન મંદિર સંચાલિત શ્રી શ્રી રાધા નિલમાધવધામ આયોજીત રથયાત્રાનું કોટેચા ચોક ખાતે સ્વાગત કરાયુ હતુ. આ બન્ને કાર્યક્રમોમાં શિવસેનાના રાજય સંકલન સમિતિના સદસ્ય જીમ્મીભાઇ અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડીયા, નિલેશભાઇ ચૌહાણ, રાજન દેસાણી, કશ્યપ પંડયા, વિમલ નૈયા, અખિલ સોરઠીયા, પાર્થ કોટક, જગદીશભાઇ મુછડીયા, રોહીત ગઢીયા, ધવલ કાચા, રવિભાઇ ગોંડલીયા, ધનરાજ ગૌસ્વામી, વૈભવ મલહાર ત્રિવેદી, ગીરીભાઇ ગૌસ્વામી, વિજય કુબાવત, બલરામ ચૌહાણ, મિલન ધંધુકીયા વગેરે સાથે જોડાયા હતા.

(3:30 pm IST)