Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

માનસિક બિમારીને કારણે સરદારનગરના પટેલ મહિલા કુસુમબેનનો આપઘાત

રાજકોટ તા. ૬: મવડી સરદારનગર-૧ પટેલ બોર્ડિંગ પાસે રહેતાં કુસુમબેન જીતેન્દ્રભાઇ રૂપારેલીયા (પટેલ) (ઉ.૪૫)એ ૨૦/૬ના રોજ એસિડ પી લેતાં વોકહાર્ટ હોસ્પિટલમાં અને ત્યાંથી મેડીસર્જ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાત્રે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

હોસ્પિટલ મારફત જાણ થતાં માલવીયાનગરના એએસઆઇ ગોૈતમભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કુસુમબેનને સંતાનમાં  બે પુત્ર છે. પતિ વેપાર કરે છે. માનસિક બિમારીથી કંટાળીને પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

(1:35 pm IST)