Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કોઠારીયા સોલવન્ટ પાસે મોડી રાત્રે ટ્રેનની ઠોકરે યુવાનના ધડ-માથુ નોખા

લાયસન્સ મળ્યું તેમાં દેવરાજ વાઘજીભાઇ ચૌહાણ-વિશ્વનગર લખ્યું છેઃ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૬: કોઠારીયા સોલવન્ટ પાસે રાત્રીના પોણા બે વાગ્યે ઓખાથી વેરાવળ જતી ટ્રેનની ઠોકરે ચડી જતાં આશરે ૩૫ વર્ષના યુવાનનું ધડ-માથુ નોખા થઇ જતાં મોત નિપજ્યું છે.  મૃતક પાસેથી એક ડ્રાઇવીંગ લાયસન્સ મળ્યું છે. જેમાં દેવરાજ વાઘજીભાઇ ચૌહાણ (રહે. ૧૪/૧, વિશ્વનનગર, વિશ્વેશ્વર મંદિર પાસે) એવું એડ્રેસ લખેલુ છે. મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાયો છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ફોન ૭૪૩૩૮ ૧૪૮૦૮ અથવા પીએસઆઇ આર. બી. વાઘેલા ૯૮૭૯૭ ૪૫૦૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:10 am IST)