Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

પરિણિતાને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં સસરાની જામીન અરજી નામંજૂર

રાજકોટ તા. ૬ :.. પરણીતાના આપઘાત કેસમાં સસરાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી.
ગત તા. ૧૭-૪-રર ના રોજ રપ ન્‍યુ જાગનાથ સોસાયટીમાં આવેલ કૃષ્‍ણ એપાર્ટમેન્‍ટમાં સાસરે આઘાત કરી લેનાર પરણીતા કિરણાબેન અજીતસિંહ ડોડીયાએ પણ તથા સસરાના ત્રાસ દુઃખને કારણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધેલની ફરીયાદ મરણ જનાર કિરણબેનના  પિતા ભીખુભાઇ લક્ષ્મણભાઇ પરમારે એ ડીવી. પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ.
ફરીયાદના અનુસંધાને પોલીસે મરણજનાર કિરણબેનના પતિ અજીતસિંહ નથુભાઇ ડોડીયા તથા સસરા નથુભાઇ દુદાભાઇ ડોડીયાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ જેલમાંથી આરોપી નથુભાઇ દુદાભાઇ ડોડીયાએ સેશન્‍સ કોર્ટમાં જામીન ઉપર છૂટવા જામીન અરજી કરેલ.
સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીની વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપીઓએ મરણજનારને બે દિકરીઓ જન્‍મેલ હોય તે બાબતે ખૂબ જ ત્રાસ દુઃખ આપતા તેમજ માવવરેથી પૈસા લઇ આવવા બાબતે પણ ત્રાસ દુઃખ આપતા તે બાબતની ફરીયાદ ફરીયાદીએ કરેલ છે.
આવા સમાજ વિરોધી આરોપીઓને જામીન આપવા જોઇએ નહી અને જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ તે રજૂઆતને ધ્‍યાને લઇ સેશન્‍સ જજ શ્રી પી. એન. દવેએ જામીન અરજી રદ કરેલ છે.
આ કામમાં સરકાર તરફે એ. પી. પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતાં.

 

(3:39 pm IST)