Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

સાંજના ૭ થી સવારના ૭ સુધી શહેરની દુકાનો જડબેસલાક બંધ રહેશે

લોકો કારણ વગર બહાર નીકળશે તો કાયદાકીય પગલા : ડીસીપી મનોહરસિંહ જાડેજા

રાજકોટઃ લોકડાઉન ૩.૦ના કડક અમલ માટે પોલીસ તંત્ર સતર્ક બની પગલા લઇ રહ્યું છેઃ આ વચ્ચે દુકાનદારો અને ધંધાર્થીઓને સાંજે ૭ વાગ્યે દુકાનો બંધ કરી દેવા વિશે થોડી અવઢવ ઉભી થઇ હતીઃ દરમિયાન આજે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ સાંજે ૭થી સવારે ૭ સુધી જડબેસલાક બંધનું પાલન કરાવાશેઃ આ દરમિયાન મેડીકલ સ્ટોર સિવાયની કોઇ દુકાનો ખુલી નહીં શકેઃ લોકો પણ કારણ વગર રસ્તા પર નીકળેલા જણાશે તો કાયદાકીય પગલા લેવાશે

(3:21 pm IST)