Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

આંબેડકરનગરમાં શાંતાબેન પર ભત્રીજા જમાઇ પ્રકાશ અને તેના ભાઇનો હુમલો

લવમેરેજ બાબતે ચાલતુ મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૬: એંસી ફુટ રોડ પર આંબેડકરનગર-૬માં રહેતાં શાંતાબેન બાબુભાઇ રાઠોડ (ઉ.૫૫) પર તેના ભત્રીજા જમાઇ પ્રકાશ, તેના ભાઇ દિપક ચાવડા તથા ભત્રીજી વૈશાલીએ ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

શાંતાબેનના પુત્ર વિપુલભાઇએ કહ્યું હતું કે હું સાત હનુમાન પાસે રહુ છું. ગઇકાલે માતાને ત્યાં કરીયાણુ આપવા આવ્યો હતો. મારા કાકાની દિકરી વૈશાલી સાથે પ્રકાશે લવમેરેજ કર્યા હોઇ ત્યારથી મનદુઃખ ચાલે છે. હું માતાના ઘરે આવતાં તેણે મને જોઇને ન બોલવાનું બોલતાં મારા માતા તેને સમજાવવા જતાં તેના પર હુમલો કરાયો હતો. શાંતાબેનને સારવાર બાદ રાતે જ હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

(1:02 pm IST)