Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

ફરજ મોકુફ કરાયેલા રાજ્યના ૯ પીઆઇ અને ૧૩ પીએસઆઇ ફરીથી ફરજ પર

રાજકોટના પીઆઇ પી.એન. વાઘેલા સહિતને આઇબીમાં નિમણુંક અપાઇ

રાજકોટ તા. ૬: રાજ્યભરમાં અલગ-અલગ શહેર જીલ્લામાં ફરજ બજાવી રહેલા  અને અગાઉ કોઇને કોઇ કારણોસર ફરજ મોકુફ કરવામાં આવેલા ૯ પીઆઇ અને ૧૩ પીએસઆઇને હાલની કોરોનાની પરિસ્થિતિમાં ફરીથી ફરજ પર લેવાના આદેશો થયા છે. આ તમામની પુનઃ નિમણુંક  આઇબીમાં થઇ છે.

જેમાં રાજકોટ શહેરના પીઆઇ પી. એન. વાઘેલાને આઇબીના રાધનપુર સેન્ટર ડીસા રિઝીયન ખાતે મુકાયા છે. આ ઉપરાંત ગાંધીનગરના આર. બી. કાપડીયા, ખેડાના વી. ડી. મહિડા, અમદાવાદના એમ.ડી. પુવાર, જે. સી. શેખ, ભાવનગરના જે. એમ. ચાવડા, સુરતના એસ. બી. શેખ, જામનગરના જી. પી. પરમાર તથા સુરેન્દ્રનગરના કે. ડી. નકુમનો સમાવેશ થાય છે.

જ્યારે ૧૩ પીએસઆઇમાં સુરેન્દ્રનગરના એ. વી. પાતાળીયા, ભાવનગરના પી. કે. મંડોરા, નવસારીના બી.એલ. રાયજાદા, મહેસાણાના એસ. બી. રાજગોર, કે. એલ. દેસાઇ, પ.રે. વડોદરાના કે. એમ. રાઠવા, વી. એન. કોટવાલ, સુરત ગ્રામ્યના યુ. એ. ચોૈધરી, અમદાવાદ સીટીના વી. એ. સેંગલ, એ. એમ. કામળીયા, વી. એમ. કોલાદરા અને એચ. ડી. પુરોહિતનો સમાવેશ થાય છે.

(1:03 pm IST)