Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

લેણદારો પૈસા ન આપતા સૂર્યનગરના અશ્વિનભાઇ પરમારે પડધરીમાં ઝેર પીધુ

ભાગીદારીમાં તબેલો શરૂ કરવા રામસીંગને ૧૦ લાખ અને શેરબજારમાં ઇન્વેસ્ટ કરવા માટે કલ્પેશને ૮ લાખ આપ્યા હોવાનો સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ

રાજકોટ તા. ૬ :.. નાના મવા રોડ પર સૂર્યનગરના રજપૂત યુવાને સ્યુસાઇટનો લખી પડધરીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. લેણદારો પૈસા ન આપતા પોતે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું છે.

મળતી વિગત મુજબ નાના મવા રોડ પર સૂર્યનગર શેરી નં. ૪ માં રહેતા અને ફર્નીચરનું કામ કરતા અશ્વિનભાઇ ભાવરશીભાઇ પરમાર (ઉ.૩પ) (રજપૂત) એ ગઇકાલે પડધરીના મેલડી માતાજીના મંદિર પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતા પડધરી પોલીસે રાજકોટ પહોંચી તપાસ કરતા અશ્વિનભાઇએ લખેલી સ્યુસાઇટ નોટ મળી આવી હતી. જેમાં રામસીંગ ચાવડાને પાંચ વર્ષ પહેલા ભાગીદારીમાં તબેલો ચાલુ કર્યો તેમાં ૧૦ લાખ રોકયા હતાં. અને છ વર્ષ પહેલા શેરબજારમાં રોકાણ કરવા માટે કલ્પેશ દેસાઇને રૂ. ૮ લાખ આપ્યા હતાં. બાદ આ પૈસા માટે લોન લીધી હોઇ અને લેણદારો પૈસા ન આપતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું લખ્યુ છે. અશ્વિનભાઇ બે ભાઇ એક બહેનમાં નાના છે. તેને એક પુત્ર અને એક  પુત્રી છે. આ અંગે પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:27 pm IST)