Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

ભાજપના ૪૦માં સ્થાપના દિન નિમિતે

શહેરના તમામ વોર્ડમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દિનદયાલજીને પુષ્પાંજલી અર્પણ

રાજકોટ, તા. ૬ : આજે તા.૬ઠ્ઠી એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિતે શહેરના તમામે તમામ ૧૮ વોર્ડમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.૧માં રસીકભાઈ બદ્રકીયા, વોર્ડ નં.૨માં રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૩માં હેમુભાઈ પરમાર, વોર્ડ નં.૪માં સંજય ગોસ્વામી, વોર્ડ નં.૫માં દિલીપ લુણાગરીયા, વોર્ડ નં.૬માં ઘનશ્યા કુગશીયા, વોર્ડ નં.૭માં જીતુ સેલારા, વોર્ડ નં.૮માં વી.એમ. પટેલ, વોર્ડ નં.૯માં જયસુખ કાથરોટીયા, વોર્ડ નં.૧૦માં રજની ગોલ, વોર્ડ નં.૧૧માં પ્રવિણ પાઘડાર, વોર્ડ નં.૧૨માં યોગરાજસિંહ જાડેજા, વોર્ડ નં.૧૩માં હસુભાઈ ચોવટીયા, વોર્ડ નં.૧૪માં અનિષ જોષી, વોર્ડ નં.૧૫માં ભીખુભાઈ ડાભી, વોર્ડ નં.૧૬માં સુરેશ વસોયા, વોર્ડ નં.૧૭માં રાજુભાઈ ફળદુ, વોર્ડ નં.૧૮માં રાજુભાઈ માલધારીની આગેવાનીમાં પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(1:35 pm IST)