Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

ભાજપની વિચારધારા સૌને સમાન ગણવાની, સૌને માનભર્યા હક્ક આપવાની

ડો.મુખર્જી, પંડિત દિનદયાળજી, વાજપેયીજી, અડવાણીજી, નરેન્દ્રભાઈ, અમિતભાઈનું મહત્વનું યોગદાન : રાજુભાઈ ધ્રુવ

રાજકોટ, તા. ૬ : આજે ૬ એપ્રિલે ભારતીય જનતા પક્ષના ૪૦માં સ્થાપના દિવસ નિમિત્ત્।ે ભાજપનાં પાયાનાં કાર્યકર રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં ભારત અને ભાજપને મજબૂત બનાવવામાં નરેન્દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. આઝાદ ભારતથી લઈ આજ સુધી ભારતીય રાજકરણનાં ઈતિહાસમાં ભાજપનો ઈતિહાસ રાષ્ટ્રીય આંદોલન-ક્રાંતિઙ્ગ સમાન છે. આવનારી સદીઓ સુધી જયારે-જયારે રાષ્ટ્રીય અને વૈશ્વિકસ્તરે ભારતને ગૌરવભેર યાદ કરવામાં આવશે ત્યારે-ત્યારે તેની સાથે ભાજપ અને તેના નેતા-કાર્યકરોનું માનભેર સ્મરણ પણ કરવામાં આવશે.પ. નહેરુ- કોંગ્રેસ નું હિન્દૂ હિત વિરોધી વલણ કરોડો રાષ્ટ્રવાદીઓ ને પીડા અને યાતના આપતું હતું. હકીકતમાં જનસંદ્ય-ભાજપની સ્થાપના બાદ જ ભારતમાં હિન્દૂ પ્રજાને સ્વતંત્રતાની ખરી અનુભૂતિ થઈ. ડો.શ્યામાપ્રસાદ મુખર્જી-પ. દીનદયાળ ઉપાધ્યાય ત્યારબાદ શ્રી અટલબિહારી બાજપેયી-પ. દીનદયાળ ઉપાધ્યાય, શ્રી અટલજી-શ્રી અડવાણીજી અને ૨૦૧૪ બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદી-શ્રી અમિતભાઇ શાહનું ખૂબ મહત્વનું પ્રદાન જનસંઘ-ભાજપ ને મજબૂત બનાવવામાં રહ્યું છે.

સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસના શાસન દરમિયાન હિન્દુત્વ વિરોધી માનસિકતા ઊભી કરવાના અત્યંત બદઇરાદભર્યા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આવા સમયે જનસંદ્ય-ભાજપનાં સૂર્યોદયથી દેશની એકતા, અખંડિતા, રાષ્ટ્રવાદ અને લોકશાહીને નવજીવન મળ્યું. ઈ.સ.૧૯૫૨ની સામાન્ય ચૂંટણીમાં લોકસભાની માત્ર ત્રણ બેઠકો મેળવનાર જનસંદ્ય ૧૯૬૩ સુધીમાં દેશનો પ્રમુખ રાજકીય પક્ષ બની ગયો હતો. ઈ.સ. ૧૯૬૮માં પંડિત દીનદયાળજીનાં નિધન બાદ સ્વ.અટલ બિહારી વાજપેયીજીએ જનસંઘની કમાન સંભાળી. થોડા વર્ષો બાદ જનસંઘના કાર્યકરોએ ભાજપ એટલે કે ભારતીય જનતા પક્ષની સ્થાપના ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ કરી. ૩૯ વર્ષ બાદ આજે ભાજપ રાષ્ટ્રવાદી વિચારધારા, પરંપરાગત મૂલ્યોની જાળવણી સાથે લોકતાંત્રિક શાસન પદ્ઘતિ અપનાવવા સાથે વિશ્વનો સૌથી મોટો રાજનૈતિક પક્ષ બની ગયો છે. અલબત્ત્। આજે દરેક પક્ષનાં લોકો ભાજપમાં જોડાવવા ઈચ્છી રહ્યાં છે. દરેક ધર્મ, સંપ્રદાય અને સમાજ માટે સમભાવ તેમજ રાષ્ટ્ર માટે સેવાભાવ રાખનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાનું અને દેશહિત માટે જીવન સમર્પિત કરવાનું ગૌરવ છે એવું જણાવી રાજુભાઈ ધ્રુવે આગળ કહ્યું હતું કે,

ભાજપની પંચનિષ્ઠાઓ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિએ ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનો વિશ્વને પરિચય આપ્યો છે. દેશની અંદર સ્થપાયેલું શાંતિ અને સુરાજયનું વાતાવરણ એ ભારતીય જનતા પક્ષનાં સુશાસનનું પરિણામ છે. ૨૦૧૪માં ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ દેશનાં વડાપ્રધાન બન્યા એ પહેલાંનાં ભારત અને આજનાં ભારતની તુલના કરતાં આપોઆપ ખ્યાલ આવી જાય છે કે, કયા પ્રકારે કેન્દ્રમાં ભાજપ સરકાર અને ભાજપ શાસિત રાજયોએ વિકાસની હરણફાળ ભરી છે. સ્થાપનાકલ થી આજ સુધી ભાજપ માટે ભારતમાતા અને સહુ ભારતવાસીઓ ની સેવાઙ્ગ એ આરાધ્ય મંત્ર રહ્યો છે. ભાજપનું સંગઠન રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડતા, રાષ્ટ્રીય ઓળખ અને રાષ્ટ્રીય શકિત સાથે સંકળાયેલું છે. ભાજપની વિચારધારા સૌને સમાન ગણવાની અને સૌન સન્માનભર્યા હક્ક આપવાની છે. પક્ષનાં સિદ્ઘાંતોનાં મૂળમાં જ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ, બાળ ગંગાધર તિલક, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર અને સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રહિતની રાષ્ટ્રવાદી વિચારધારા સિંચાએલી છે.

ઈ.સ.૧૯૫૧માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં દ્રિતીય સરસંચાલક ગુરુજીની પ્રેરણાથી જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ઇ.સ.૧૯૫૩માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં 'કાશ્મીર બચાવો' આંદોલન દરમિયાન જેલવાસ અને શંકાસ્પદ રાજકીય હત્યા બાદ ખરા અર્થમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જનસંઘનો કાર્યભાર સંભાળ્યો. તેમણે જનસંઘનો સંગઠનાત્મક અને વૈચારિક પાયો નાખી દેશને અકે શુદ્ઘ રાષ્ટ્રવાદી સંગઠનની ભેટ આપી. આ બંને વિરાટ વિભૂતિઓની છત્રછાયામાં સ્વ.શ્રી અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણીજી મૂલ્યગત નૈતિક રાજનીતિના પાઠ શીખ્યા. રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલું ભારતીય જનતા પક્ષ આજે સંઘ પરિવાર તરીકે ઓળખાતા સંગઠનોના પરિવારનું સૌથી અગ્રણી સભ્ય છે એ પણ ગૌરવપૂર્ણ બાબત હોવાનું શ્રી ધ્રુવ (મો.૯૪૨૬૭ ૧૯૫૫૫)એ યાદીના અંતમાં જણાવ્યું છે.

(11:47 am IST)