Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

કોઠારીયા રોડ શ્રીનગરના બીનાબેન પરમારને પતિ, સાસુ-સસરાનો ત્રાસ

પતિ કુશાલ, સાસુ હંસાબેન અને સસરા મગન સામે ગુનો નોંધાયો

રાજકોટ, તા. ૬ :  કોઠારીયા રોડ પર શ્રીનગર મેઇન રોડ પર રહેતી કડીયા પરિણીતાને પતિ, સાસુ, સસરા મેણાટોણા મારી ત્રાસ આપી કરીયાવર ઓળવી ગયાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ શ્રીનગર મેઇન રોડ પર અંબીકા પ્રોવિઝન સ્ટોર સામે સોસાયટીની પાછળ રહેતા બીનાબેન કુશાલભાઇ પરમાર (ઉ.વ.ર૯)ના ચાર વર્ષે પહેલા લગ્ન થયા હતા તેને સંતાનમાં  બે બાળકો છે. લગ્નના થોડા સમય બાદ પતિ કુશાલ મગનભાઇ પરમાર, સાસુ હંસાબેન તથા સસરા મગન મેઘજીભાઇ પરમાર પરિણીતાને અવાર-નવાર ઘરકામ તથા નાનીનાની બાબતે મેણાટોણા મારી ત્રાસ આપી કરિયાવર ઓળવી જઇ વિશ્વાસઘાત આચર્યાની ફરીયાદ મહિલા પોલીસ મથકમાં બીનાબેન પરમારે નોંધાવી હતી. આ અંગે પી.એસઆઇ જે. આર. સરવૈયા તથા અલ્કાબેન તપાસ આદરી છે.

(3:58 pm IST)