Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ગુરૂવારે વિશ્વ મહિલા દિવસ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મહિલા સત્કાર સમારોહ

ઓશો વિચારધારા સાથે સંકળાયેલી અલગ - અલગ ક્ષેત્રની મહિલાઓનો વિશેષ સન્માનનો કાર્યક્રમ

રાજકોટ : આગામી તા.૮ને ગુરૂવારે વિશ્વ મહિલા દિવસ નિમિતે હર સાલની માફક ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાંજના ૬:૩૦ થી ૮:૩૦ દરમિયાન ઓશો કિર્તન સંધ્યા ધ્યાન તથા ઓશો વિચારધારા સાથે સંકળાયેલી ઓશો સન્યાસીની ઓશો પ્રેમી મહિલાઓનો વિશેષ સન્માન કાર્યક્રમ તથા પ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે.

વિશ્વના દરેક ધર્મ અને સંપ્રદાયમાં મહિલાઓને સૌથી વધુ સન્માન આપનાર મહાન ફિલોસોફર, તત્વચિંતક સંબુદ્ધ રહસ્યદર્શી સદ્દગુરૂ ઓશો છે. જે સમાજ અને સંસ્કૃતિ સ્ત્રીને વિકસવા માટે ખુલ્લુ આકાશ આપે છે તે સમાજ અને સંસ્કૃતિ લાંબાગાળા સુધી ટકી શકે છે તેથી જ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ઓશો જગતમાં એજ્યુકેશન, બિઝનેસ, સેલ્ફ એમ્લોયર્સ, મેડીકલ, આર્ટ તથા અન્ય ફિલ્ડમાં આગળ પડતુ સ્થાન ધરાવનારી અનેક મહિલાઓ છે જે કુટુંબ, સમાજની અંદર પોતપોતાના ક્ષેત્રમાં કાર્યરત રહીને ઓશો અભિગમ દ્વારા નવી ક્રાંતિ અને સ્વસ્થ વિચારધારા ફેલાવે છે.

ઉપરોકત વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી પ્રેમીઓને સ્વામી સત્ય પ્રકાશે અનુરોધ કરેલ છે.

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ.

વિશેષ માહિતી માટે સ્વામી સત્ય પ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઈ કોટક - ૯૪૨૬૯ ૯૬૮૪૩ / અશોકભાઈ રાવલ (મોરબી) - ૯૪૬૯૭ ૬૦૯૪૭.(૩૭.૪)

 

(4:02 pm IST)