Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં જયંતિભાઇ વાઘેલાનો ઝેર પી આપઘાત

કોળી યુવાને ઘરકંકાસના કારણે પગલુ ભર્યાની પોલીસને શંકા

રાજકોટ, તા. ૬ : રેલનગરમાં લાલબહાદુર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા કોળી યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલ લાલબહાદુર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા જયંતિ ગાંડુભાઇ વાઘેલા (ઉ.વ.૪પ) એ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ જોગરાણા તથા રાઇટર આનંદભાઇએ તપાસ આદરી છે. મૃતક જયંતિભાઇ કલરકામ કરતા હતા. તેના પત્નિ સરલાબેન ઘર પાસે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.

 

જયંતિભાઇ બહારથી ઘઉંમાં નાખવાના ટીકડા પી ઘરે આવ્યા હતાં અને ઘરે આવતા ઉલ્ટીઓ કરવા લાગતા પત્ની સરલાબેને ફોન કરી બહેન અને તેના ભત્રીજાને બોલાવ્યા હતાં અને જયંતિભાઇને તાકીદે સારવાર માટે સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કોળી યુવાને ઘરકંકાસના કારણે પગલુ ભર્યાની પોલીસને શંકા છે. તેના મોત પાછળનું સાચુ કારણ જાવણા પોલીસે તપાસ આદરી છે.

(2:24 pm IST)