Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કાલે વોર્ડ નં. ૩ના અડધા વિસ્તારો રહેશે તરસ્યા

વાલ્વ મુકવાની કામગીરી સબબ રેલનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ નહિ થાય

રાજકોટ,તા. ૬: શહેરનાં વોર્ડ નં. ૩ના અડધા વિસ્તારોમાં વાલ્વ કામગીરી સબબ આવતીકાલે પાણી વિતરણ બંધ રહેશે. તેમ મ્યુ.કોર્પોરેશન દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યું હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલનગર હેડવર્કસ હેઠળ રેલનગર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ૬૦૦ મીમી ડાયા વાલ્વ મુકવાની કામગીરી સબબ તા. ૭ જાન્યુઆરી ગુરૂવારના રોજ સેન્ટ્રલ ઝોન અંતર્ગત રેલનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૩ પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.

કયાં કયાં વિસ્તારોમાં અસર

આવતીકાલે અમૃત રેસીડેન્સી, સંતોષીનગર, શકિત સોસાયટી, નારાયણ નગર, સરદાર પટેલ, સુર્યા પાર્ક, શીતલપાર્ક-૨, શિવ દ્રષ્ટિ, ગંગોત્રી પાર્ક, રાધે પાર્ક, સાંઇબાબા સોસાયટી, રેલનગર-૧, રેલનગર-૨, શેરી નં. ૧થી ૧૪ અર્પણ પાર્ક, નાથદ્વાર સોસાયટી, સાધુવાસવાણી કુંજ, તથા પોપટપરા, સેન્ટ્રલ જેલ સહિતના અડધા વિસ્તારોના પાણી વિતરણની અસર થશે.

(3:03 pm IST)