Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

જાદવ ભરવાડના ત્રાસથી આખુ ભીમરાવનગર ફફડે છે : મહિલાઓની અનુપમસિંહ ગેહલોતને રજુઆત

કોંગ્રેસની જાહેર સભામાં ખુલ્લી છરી સાથે દોડી જઇ ધમાલ કરનાર ા શખ્સ સામે આકરા પગલા લ્યો : રાજુ ચાવડીયા અને મિતુલ દોંગાની આગેવાનીમાં મહિલાઓ દ્વારા આવેદન

રાજકોટ તા. ૫ : ગઇકાલે વિધાનસભા ૬૮ ના ઉમેદવાર મિતુલ દોંગાની ચાલુ જાહેર સભાએ જાદવ નામના સખ્શે ધમાલ મચાવતા મહીલાઓમાં ફફડાટ મચી ગયો હતો.આ અંગે રાજુભાઇ ચાવડીયા અને મિતુલભાઇ દોંગાની આગેવાની હેઠળ પોલીસ કમિશ્નરને રજુઆત કરવા જઇ રહેલ મહિલાઓએે આક્રોશભેર જણાવ્યુ હતુ કે આ જાદવ ભરવાડ જ્ઞાતિનો છે અને ભાજપ કાર્યકર છે.ગઇકાલે માંડાડુંગર આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાના સમર્થનમાં જાહેર સભા યોજાઇ હતી. જેમાં મિતુલભાઇ પ્રવચન કરીને નીકળી ગયા બાદ ગોવિંદ સભાયા પ્રવચન આપી રહ્યા હતા ત્યારે એકાએક 'જાદવો' હાથમાં ખુલ્લી છરી દોડી આવ્યો હતો અને બેફામ ગાળાગાળી કરી હતી. સ્ટેજ ઉપર ચડી જઇ તોડફોડ કરવા લાગેલ અને રસોઇ બની રહી હતી ત્યાં જઇ રસોઇનો સામાન પણ ઢોળી નાખ્યો હતો.

મહીલાઓએ આક્રોશભેર જણાવેલ કે જાદવાનો આ વિસ્તારમાં વર્ષોથી ત્રાસ છે. અવાર નવાર આ વિસ્તારમાં ધમાલ કરી જાય છે. કોઇને મકાન પચાવી પાડવા, ભૈયાઓને ધોલ ધપાટ કરી પૈસા પડાવી લેવા જેવી અનેક ગુન્હાહીત પ્રવૃત્તિ કરતો રહે છે. આશરે ૫૦ થી વધુ ગુન્હા તેના નામે ચડી ચુકયા છે. પાસામાં પણ જઇ આવેલ છે.

કોંગ્રેસની જાહેર સભા દરમિયાન મહીલાઓ સાથે અશોભનીય વર્તન કર્યુ હોય અમે હુડકો પોલીસ ચોકીએ રજુઆત ગયા હતા. જે સંદર્ભે પાછળથી જાદવના માતા અને ભાઇએ આ વિસ્તારમાં આવી જે મહીલાઓ પોલીસ ચોકીએ રજુઆત કરવા ગઇ હતી તેઓના ઘરે ઘરે ફરી ધમકી આપી હતી કે અમને તો ભાજપવાળા છોડાવી લેશે. તમારૃં કોણ? જે કંઇ કરો એ સમજીને કરજો આવી ધમકી આપી ગયેલ.

મિતુલભાઇ દોંગા અને રાજુભાઇ ચાવડીયાની આગેવાની હેઠળ રજુઆત માટે આવેલ આ મહિલા પ્રતિનિધિ મંડળમાં   સોનલબેન, શાન્તુબેન, શોભનાબેન, કાન્તાબેન, લાભુબેન, મંજુબેન, પ્રજ્ઞાબેન, સવિબેન, કાશીબેન, ભારતીબેન, નિમુબેન, મંજુબેન, લિલાબેન, ગીતાબેન, ભાવનાબેન, વીજુબેન સહીત વિશાળ સંખ્યામાં બહેનો જોડાયા હતા.

રજુઆત માટે આવેલ મહિલાઓ અને સાથે મિતુલભાઇ દોંગા, રાજુભાઇ ચાવડીયા તસ્વીરમાં નજરે પડે છે. (૧૬.૩)

ભયંકર ત્રાસથી અમારી દિકરીએ મરવા સુધી મજબુર થવુ પડેલ : કાશીબેન શીયાળીયા

દરમિયાન કાશીબેન શીયાળીયા નામના મહીલાએ જણાવેલ કે આ શખ્સના કારણે મારી દિકરીએ આપઘાત કરી લેવો પડયો હતો. ગમે ત્યારે આવીને છેડતી કરી જતો. મારી દીકરીના લગ્ન થઇ ગયા પછી પણ હેરાન કરતો હોય અંતે તેણીએ આપધાત કરી લેવો પડયો હતો. (૧૬.૩)

 

(4:54 pm IST)