Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ઓશો જન્મ દિવસ નિમિતે સોમવારે રાજકોટમાં એક દિવસીય ઓશો ધ્યાન સાધના શીબીર

રાજકોટ તા. ૫ : આગામી તા. ૧૧ ના ઓશોનાં જન્મ દિવસને અનુલક્ષીને રામજીભાઇ પટેલ (સ્વામી શ્રી પ્રેમજાગરણ) દ્વારા રાજકોટમાં એક દિવસીય ઓશો ધ્યાન સાધના શીબીરનું આયોજન કરાયુ છે. જેનું સંચાલન શ્રી દયાળુ સ્વામી ગીઢડાવાળા સંભાળશે. દયાળુ સ્વામી સંગીત કલાનો બહોળો અનુભવ ધરાવતા હોય તેનો લાભ પણ આપશે.

'માં' ચંદનપાર્ક શેરી નં.૩, રૈયા રોડ પછી, રૈયા રોડ, રાજકોટ (મો.૯૪૨૭૦ ૧૩૩૪૮ અને ૯૮૨૪૪ ૭૭૦૮૮) ખાતે તા. ૧૧ ના યોજાયેલ આ શીબીરમાં સવારે ૬ વાગ્યાથી સક્રીય ધ્યાન શરૂ કરી બપોરે ૧ સુધી વિવિધ ધ્યાનના પ્રયોગો કરાશે.

બપોરે ૧ થી ૩ વિશ્રામ, ૩ થી ૭ ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, સાંજે ૭ થી ૮.૩૦ ઓશો સંધ્યા સત્સંગ બાદ શીબીરનું સમાપન કરાશે. તેમ સ્વામી પ્રેમજાગરણની યાદીમાં જણાવાયુ છે.

(4:43 pm IST)