Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

રાજકોટના ૧૧ વ્યકિત પગપાળા અજમેર જશે

રાજકોટ તા.પ : અનેક શ્રધ્ધાળુઓ હંમેશા પદયાત્રા કરી ધર્મસ્થાને પહોંચતા હોય છે એ રીતે દર વર્ષે રાજકોટથી પગપાળા એક કાફલો રાજસ્થાનના અજમેર શરીફ જાય છે એ રીતે આ વખતે પણ (૧) નઝમાબેન આહમદભાઇ ફલાણી (ર) મુસ્તાકબાપુ એ. કાઝી (૩) અલ્તાફભાઇ એ. કાઝી (કાદરી) (આર્ટ બી-બોડી ફિટર એસ.ટી. વર્કશોપ-રાજકોટ) (૪) નફીસાબેન અલ્તાફબાપુ કાદરી (પ) હુસેનભાઇ મહંમદભાઇ (૬) ફારૂકભાઇ ફકીર (૭) અશરફ આમદભાઇ ફલાણી (૮) રઝીયાબેન જુમાભાઇ દલ (૯) જીનતબેન જુસબભાઇ હાલા (૧૦) નઝીરભાઇ ત્થા (૧૧) નુરૂદીન મલેક તા.૧ર-૧ર-૧૭ને મંગળવારના રોજ ભગવતી હોલવાળી શેરી (રૈયા રોડ) ખાતેથી ખ્વાજા સાહેબની દરગાહે જશે.આ કાફલામાં જે કોઇને જોડાવવુ હોય તેમણે મો.નં. ૯૪૦૯૧-૧૨૭૮૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:39 pm IST)