Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ઇદ- એ- મિલાદુન નબીની શાનદાર ઉજવણી

મોહંમદ પૈગમ્બર સાહેબના જન્મ દિવસે રાજકોટના રામનાથપરા  મેઇન રોડ ઉપર વિશાળ જુલુસ નીકળ્યુ હતુ. જેમા  મુસ્લીમ સમાજે ધંધા રોગગારી બંધ રાખી સવારે ૧૦ વાગ્યે  જુલુસમાં જોડાયા હતા. જુલુસ મુખ્ય માર્ગ ઉપર ફર્યુ હતુ તેમજ  પૈગમ્બર સાહેબની જન્મની ખુશીમાં બાળ યુવાનોએ ન્યાઝ રૂપે '૨૫ કિલોનો ચોકલેટ કેક' બનાવી  વિતરણ કરેલ તે માટે જવહેત  ઉઠાવતા  મહંમદઅલી જાનવાણી, સોહીલ જુણેજા, અલ્ફાઝ મેણ, મોઇન રાઠોડ, સહિલ જુણેજા, સમીર જાનવાણી, મુઝફર જાનવાણી, મહમદદાનીયા, મહેક જુણેજા, અમન જુણેજા, સન્ના જુણેજાએ  પંગમ્બર સાહેબની યાદમાં ખુશી સાથે ઉજવણી કરી હતી.

(4:26 pm IST)