Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

જે. જે. કુંડલીયા કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસ

વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ પ્રકૃતિનું સાનિધ્ય માણી કઇક શીખે તેવા હેતુ સાથે શ્રીમતી જે. જે. કુંડલીયા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજ દ્વારા બી. એડ્. ના પ્રથમ અન દ્વીતીય વર્ષના પ્રશિક્ષણાર્થીઓ માટે પ્રટેશ્વર મહાદેવના દર્શન અને પ્રવાસનું આયોજન કરાયુ હતુ. પ્રશિક્ષણાર્થી ભાઇ બહેનોએ નૃત્ય, નાટક, ગીત, અભિનયની રજુઆત કરી માહોલને મનોરંજનથી ભરપુર બનાવી દીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા કોલેજના પ્રિન્સીપાલ ડો. ચિરાગભાઇ માઢક, અધ્યાપક ડો. અલ્પેશભાઇ નાકરાણી, ડો. નિશાબેન રાણીંગા, ભુમિકાબેન, નોન ટીચીંગ સ્ટાફ નવા બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદીએ પ્રવાસ આયોજનને બીરદાવ્યુ હતુ.

(4:25 pm IST)