Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

રાજકોટમાં ફેબ્રુઆરીમાં ૧૦૧ સર્વજ્ઞાતિય સમુહલગ્નનું નિઃશુલ્ક આયોજન

ભારત વિકાસ પરિષદનું આયોજનઃ સરગમ કલબનો સહયોગ : વર-કન્યા પરીવાર પાસેથી એક રૂપીયા પણ નહી લેવાય : સંતો - મહંતો અને સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિઃ કન્યાઓને ગૃહઉપયોગી કરીયાવર અપાશે. : તા.૧૮ ફેબ્રુઆરીએ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં : મહા રકતદાન કેમ્પનું પણ આયોજનઃ ૭મી ડિસેમ્બર ગુરૂવારથી ફોર્મ વિતરણ

રાજકોટ,તા.૫ : ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની રાજકોટની આનંદનગર શાખા દ્વારા સરગમ કલબના સહયોગથી આગામી ૧૮ ફેબ્રુઆરી-૨૦૧૮ને રવિવારે ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય, સર્વજ્ઞાતિ, ૧૦૧ સમૂહલગ્ન (નિઃશુલ્ક)નું આયોજન કરવામાં આવેલ છે.

આ સમૂહલગ્ન સ્વ.સાવિત્રીબેન જેઠાલાલ રાયઠઠાના સ્મરણાર્થે દિપકભાઈ જેઠાલાલ રાયઠઠૃા અને મમતાબેન દિપકભાઈના આર્થિક અનુદાનથી યોજાનાર છે જેમાં અનેક શ્રેષ્ઠીઓનો સહકાર મળનાર છે. અન સમૂહલગ્નમાં વર-કન્યા પરિવાર પાસેથી એકપણ રૂપીયો લેવામાં આવનાર નથી. કન્યાઓને દાતાઓના સહયોગથી પાનેતર, મંગલસૂત્ર, સ્ટીલ કબાટ, સેટી પલંગ, ગાદલા સેટ, ટીપોઈ, સુટકેશ, વાસણો વિગેરે આપવામાં આવશે. સાધુ, સંતો-મહંતો તેમજ સમાજ આગેવાનો, રાજકિય આગેવાનોની હાજરી આપશે.

આ સમૂહલગ્નમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમ તા.૧૮/૨/૨૦૮ ને રવિવારે સવારથી બપોરના ૨ વાગ્યા દરમિયાન રાજકોટની મધ્યમાં આવેલ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાનાર છે.

આ સમૂહલગ્નમાં જોડાવા માટે તા.૭ ડિસેમ્બરને ગુરૂવારથી ફોર્મ વિતરણ શરૂ થશે. ફોર્મ સાથે વર-કન્યાના પાસપોર્ટ સાઈઝ ફોટા, સ્કૂલ લિવીંગ સટીની ખરીનકલ અને આધારકાર્ડની નકલ જોડવાના રહેશે. ફોર્મ માટે ભારત વિકાસ પરિષદ સંચાલિત આર.એમ.સી. કોમ્યુનિટિ હોલ, આનંદનગર મેઈન રોડ, રાજકોટ ખાતેથી મેળવી વહેલા તે પહેલાના ધોરણે સંપૂર્ણ વિગત સાથે ભરીને સાંજે ૪ થી ૮ કલાકના સમયમાં પરત કરવાના રહેશે.

સમગ્ર આયોજન તથા કરીયાવર કે વસ્તુના સ્વરૂપમાં કન્યાદાન આપવા માટે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત ઉપાધ્યક્ષ અને ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોસ્વામી (મો.૯૪૨૬૨ ૧૬૩૫૭), મિતલભાઈ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), ભાવેશભાઈ કાનાબાર (મો.૯૩૭૬૬ ૦૦૦૮૯), મનીષભાઈ ભટ્ટ (મો.૯૮૨૫૪ ૭૭૫૦૧), સુધીરભાઈ પારેખ (મો.૯૪૨૮૨ ૯૮૯૦૮), કિશોરભાઈ (મો.૯૮૨૫૦ ૭૫૨૨૯), આનંદનગર પ્રમુખ જેઠસુરભાઈ ગુજરીયા (મો.૯૭૨૪૪ ૪૭૩૯૯) તથા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા (મો.૯૮૨૪૦ ૪૦૮૮૯), દિલિપભાઈ ગોડા (મો.૯૩૨૮૩ ૫૫૫૫૪) સંપર્ક કરવાનો રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદના મિતલ ખેતાણી, પ્રફુલભાઈ ગોસ્વામી, ભાવશેભાઈ કાનાબાર, મનીષભાઈ ભટ્ટ, જેઠસુરભાઈ ગુજરીયા, દિપકભાઈ ગોસાઈ, રાકેશભાઈ સોરઠીયા, કરશનભાઈ મેતા, હેંમતભાઈ ડોડીયા, બકુલભાઈ દુધાત્રા, દયાળજીભાઈ રાઠોડ, વિનોદભાઈ આસોદરીયા, વિઠ્ઠલભાઈ સોજીત્રા, મહેશભાઈ પરમાર, વિનોદભાઈ પેઢડીયા સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયાં છે.

તસ્વીરમાં ભાવેશભાઈ કાનાબાર, મિતલભાઈ ખેતાણી, પ્રફુલભાઈ ગોસ્વામી, જેઠસુરભાઈ ગુજરીયા, ગૌતમભાઈ પટેલ, રાકેશભાઈ સોરઠીયા, નરેન્દ્રભાઈ ભાડલીયા, વિઠ્ઠલભાઈ સોજીત્રા, ભાસ્કરભાઈ પારેખ, કેશુભાઈ એંધાણી, વિનોદભાઈ પેઢડીયા, કાળુભાઈ પાનસુરીયા, ગિરીશભાઈ ગાજીપરા, કિશોરભાઈ, એસ.એસ.ગોસાઈ, વિનોદભાઈ પી.પટેલ, જેન્તીભાઈ કોરાટ, દિનેશભાઈ ત્રિવેદી, દિપકભાઈ ગોસાઈ, પ્રવિણભારથી ગોસ્વામી અને સુધીરભાઈ પારેખ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૭)

 

(4:15 pm IST)