Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

આજે રાત્રે અમૃતસાગર પાર્ટી પ્લોટમાં યોજાનાર વકીલ સંમેલન રદ

વરસાદી વાતાવરણને ધ્યાને લઇ કાર્યક્રમ રદ કરાયો

રાજકોટ, તા., ૫: આજ રોજ રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા વકીલો માટે યોજાયેલ વકીલ મહાસંમેલન વાવાઝોડાની પરીસ્થિતિ તેમજ વરસાદી વાતાવરણને ધ્યાને રાખીને રદ કરવામાં આવ્યાનું દિલીપભાઇ પટેલ, દિનેશભાઇ દવે તથા બળવંતસિંહ રાઠોડ દ્વારા જણાવાયું છે.

આજે રાત્રે અહીના ૧પ૦ ફુટના રીંગ રોડ ઉપર આવેલ અમૃતસાગર પાર્ટી પ્લોટમાં રોજના ૭ થી ૯ દરમ્યાન સી.એમ.વિજયભાઇ રૂપાણીના સમર્થનમાં વકીલ સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જે વરસાદી વાતાવરણ અને સંભવીત વાવાઝોડાની અસરને ધ્યાને લઇને રદ કરવામાં આવેલ છે તેમ દિલીપભાઇ પટેલે જણાવ્યુ઼ હતું.

(12:19 am IST)