Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં પૂ. ભાનુબાઈ મહાસતીજીની નિશ્રામાં તકતી અનાવરણ

રાજકોટ, તા. ૫ :. શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા ખાતે પ્રવચન પ્રભાવક પૂ. ભાનુબાઈ મ.સ. આદિની નિશ્રામાં ગોંડલ ગચ્છ શિરોમણી પદવી પ્રદાન કાયમી ધર્મકરણી યોજના તકતીની અનાવરણ વિધિ દાતા પરિવારના શ્રીમતી રેખાબેન બકુલેશ વિરાણી (ચેન્નઈ) અને પૂ. સૂર્યવિજય મ.સ.ના સંસારી બહેન જેકુંવરબેન ધીરજલાલ મહેતા (જૂનાગઢ) તેમજ ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિના સુરેશભાઈ કામદાર, ઈશ્વરભાઈ દોશી તેમજ સરદારનગરના હરેશભાઈ વોરા, જૈન અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતા, ડે. મેયર શ્રીમતિ દર્શિતાબેન શાહ વગેરેના હસ્તે અને પૂ. શ્રી ધીરગુરૂદેવ પ્રેરિત ચૌવિહાર હાઉસના અનુમોદક પૂર્વ ઉપપ્રમુખ એમ.ડી. મહેતા પરિવાર પ્રેરિત તકતીની અનાવરણ વિધિ મહેન્દ્રભાઈ મહેતા વગેરેના હસ્તે કરવામાં આવેલ.

આ પ્રસંગે પૂ. પલ્લવીજી મ.સ. આદિ તથા પૂ. સાધનાજી મ.સ. આદિ તેમજ વિવિધ સંઘના ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા. દર વર્ષે તા. ૧૮-૯ના ધર્મકરણી કરાવવામાં આવશે.

(3:38 pm IST)