Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

દિવાળી તહેવારોમાં સતત ત્રીજા દિવસે આરોગ્ય શાખાનું ચેકીંગ : ર વેપારીને નોટીસ : ૮ કિલો વાસીખોરાકનો નાશ

રાજકોટ : દિવાળીના તહેવારોમાં ખોરાકમાં ભેળસેળ રોકવા મ.ન.પા.ના આરોગ્ય વિભાગે આજે સતત ત્રીજા દિવસે મીઠાઇ-ફરસાણની રર દુકાનોમાં ચેકીંગ કરી અને ખોડીયાર ફરસાણ એન્ડ સ્વીટ, યુનિવર્સિટી રોડમાંથી ૮ કિલો. વાસી મીઠાઇનો નાશ કર્યો હતો. તેમજ યુનિવર્સિટી રોડ પરના કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટમાંથી ૧ કિલો છાપેલી પસ્તીનો નાશ કર્યો હતો. જયારે ર વેપારીને નોટીસ આપેલ તેમજ પેડક રોડ પર પ્રેમ નમકીનવાલાને ત્યાંથી ભગત સોનપાપડી (રપ૦ ગ્રામ  પેકડ) તથા વિરાણી ચોક રાજમંદિર ફરસાણમાંથી દાળ મૂઠ (લુઝ) અને ત્રિકોણ બાગ ઇન્ડીયા બેકરીમાંથી પાઇનેપલ જેમ્સ નાનખટાઇ(લુઝ) એમ ત્રણ સ્થળે નમૂનાઓ લઇ સરકારી લેબોરેટરીમાં ચેકીંગ માટે મોકલી આપેલ. તસ્વીરમાં મીઠાઇનું ચેકીંગ કરી રહેલા અધિકારીઓ દર્શાય છે.

(3:32 pm IST)