Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

કોઠારીયાની ભોમેશ્વર સોસાયટી પાસે ખાડામાંથી યુવાનની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

ડૂબી જતાં મોત થયાનું તારણઃ સગા હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૭: કોઠારીયાર ગામ રણુજા મંદિર સામે ભોમેશ્વર સોસાયટીના ભૂતનાથ મંદિર પાસે ભરાયેલા પાણીના ખાડામાંથી અજાણ્યા આશરે ૩૫ વર્ષના યુવાનની ફુલાયેલી-કોહવાયેલી લાશ મળી આવતાં આજીડેમ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.

મૃતક યુવાને કાળો શર્ટ અને ગ્રે બ્લુ પેન્ટ પહેર્યુ છે. કોઇ કારણોસર ખાડા પાસે ગયા બાદ પગ લપસી જતાં પડી જવાથી ડુબી ગયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. શરીર પર ઇજાના નિશાન દેખાયા નથી. મૃતકની ઓળખ થાય એ પછી તપાસ આગળ વધશે. મૃતક વિશે કોઇને કંઇ માહિતી હોય કે કોઇ સગા સંબંધી વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ફોન ૭૪૩૮૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વિશેષ તપાસ પીએઅસાઇ એમ.ડી. વાળા અને જયપાલભાઇ ચલાવી રહ્યા છે.

(11:36 am IST)