Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

માહી મિલ્કના કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન

 રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારની સુધી ઉત્પાદકોની પોતાની કંપની એવી માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે સ્વછતા અભિયાન અને સામાજિક જવાબદારી અંતર્ગત ભકિતનગર સ્ટેશન ખાતે માહી મિલ્ક પ્રોડયુસર કંપનીના ડે.પી.સી.ઈ ડો.સંજય ગોવાણી તથા માહીના અન્ય અધિકારીઓ પુરષોતમ પાટોલિયા, ચીમનભાઈ બાબરીયા, બિપિન ચીકણી, પ્રદીપ દાસ તથા અન્ય ૩૫ જેટલા કર્મચારીઓએ ભકિતનગર રેલવે સ્ટેશનના અધિકારીઓ સાથે પ્લેટેફોર્મ, કંપાઉન્ડ, પાર્કિંગ  વિસ્તાર સહીતના વિવિધ સ્થળોની સફાઈ કરી હતી.(૩૦.૨)

(4:42 pm IST)