Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

થોરાળા વિજયનગરમાં બિમારીથી કંટાળી વનિતાબેન પરમાર સળગ્યાઃ સારવારમાં

અગાઉ પતિનું ગંભીર પ્રકારની બિમારીને કારણે મૃત્યુ થયુ હતું

રાજકોટ તા. ૫: થોરાળાના વિજયનગર-૪માં રહેતાં વનિતાબેન જીતેન્દ્રભાઇ પરમાર (ઉ.૪૨) નામના વણકર મહિલાએ અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વનિતાબેનને સંતાનમાં ૧૬ વર્ષનો પુત્ર છે. તેનું સાસરૂ ગોંડલના ભોજપરામાં હતું. વર્ષો પહેલા પતિને ગંભીર બિમારી ભરખી ગઇ હતી. આવી જ બિમારી તેણીને પણ લાગુ પડી હતી. હાલમાં વનિતાબેન રાજકોટ તેમના ભાઇ સાથે રહેતાં હતાં. બિમારીથી કંટાળી જઇ આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

પુનિતનગરમાં રમેશને ચાર શખ્સોએ માર માર્યો

ગોંડલ રોડ પુનિતનગરમાં પાણીના ટાંકા પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં રમેશ માવજીભાઇ (ઉ.૩૦)ને ઘર પાસે હતો ત્યારે પ્રતાપ કાળુ, સવજી પ્રતાપ, ચંદુ સવજી, કાળુ લખુએ ઝઘડો કરી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ભોલાને અશોકે લાકડી ફટકારી

ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતાં ભોલા રામબાબુ (ઉ.૨૦)ને ઘર પાસે અશોકે ગાળો દઇ લાકડી મારતાં સારવાર માટે દાખલ થતાં બી-ડિવીઝનને જાણ કરાઇ હતી. (૧૪.૧૧)

(4:12 pm IST)