Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ઓરી - રૂબેલા રસીકરણમાં રાજકોટ રાજ્યમાં પ્રથમ

૩.૩૦ લાખ બાળકોના લક્ષ્યાંક સામે ૩.૪૪ લાખ બાળકોનું રસીકરણ થયું : રાજકોટવાસીઓનો આભાર માનતા પદાધિકારીઓ

રાજકોટ તા. ૫ : ઓરી - રૂબેલા રસીકરણમાં રાજકોટ કોર્પોરેશને લક્ષ્યાંકથી પણ વધુ બાળકોનું રસીકરણ કરી અને રાજ્યભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ત્યારે આ બાબતે રાજકોટવાસીઓને મેયર સહિતના પદાધિકારીઓએ અભિનંદન પાઠવી અને આભારની લાગણી વ્યકત કરી છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારશ્રી દ્વારા આપણા રાષ્ટ્રમાંથી વર્ષ ૨૦૨૦ સુધીમાં ઓરી નાબુદ કરવા અને રૂબેલા સુરક્ષિત કરવા ઙ્કઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને ઓરી અને રૂબેલા મુકત કરવાના ભાગરૂપે તા.૧૬/૦૭/૨૦૧૮થી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને ૧૬ જુલાઈથી ૭૭૮થી વધારે શાળા, ૩૪૪ આંગણવાડી તથા ૨૧ આરોગ્ય કેન્દ્રો પર ૧૫૦થી વધારે વેકસીનેટર ટીપ દ્વારા મીઝલ્સ/રૂબેલા(MR) વેકસીન વિનામુલ્યે આપવામાં આવેલ. આ અભિયાનમાં શિક્ષણ, આરોગ્ય, આઈ.સી.ડી.એસ., મેડીકલ એસોસિએશન, લાયસન્સ કલબ તથા અન્ય ફઞ્બ્ સંસ્થાના સંકલન તથા એકબીજાના સહયોગ દ્વારા કરવામા આવેલ હતો.

ઓરી તથા રૂબેલા જેવા અત્યંત ચેપી વેકશીન પ્રિવેન્ટેબલ ડીસીઝથી બચવા રાજકોટ મહાનગરપાલિકા આ એમ.આર.કેમ્પેઈન (મીઝલ્સ-રૂબેલા રસીકરણ અભિયાન)માં દરેક રાજકોટ વાસીઓને પોતાના વહાલસોય ૯ માસથી ૧૫ વર્ષની ઉમરના બાળકોને MRની રસી આપવી 'ઓરી/રૂબેલા મુકત રાજકોટ' અભિયાનને સફળ બનાવવા મહાનગરપાલિકાના પદાધિકારી તથા અધિકારીઓના સફળ પ્રયાસથી રાજકોટ મહાનગરપાલિકા ઓરી/રૂબેલાના જનજાગૃતિ અભિયાનમાં સફળ પુરવાર થઇ છે. ગુજરાત રાજયના તમામ શહેરોમાં રાજકોટ મહાનગરપાલિકા આજે આ કામગીરી કરવામાં મોખરે આવેલ છે. જયારે રાજકોટ મહાનગરપાલિકાને ૩,૩૦,૬૮૮ બાળકોનો લક્ષ્યાંક આપવામાં આવેલ હતો જેની સામે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા ૯ માસથી ૧૫ વર્ષ સુધીનું એકપણ બાળક રસીકરણથી વંચિત રહી ન જાય તેની પૂરી કાળજી રાખી અને ઉપરોકત લક્ષ્યાંકને પાર કરીને કુલ ૩,૪૪,૦૧૨ બાળકોને આ રસી આપવામાં આવેલ હતી. જે બદલ મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકરએ આ લક્ષ્યાંક પાર કરવામાં સહકાર આપવા બદલ શહેરીજનોનો આભાર માન્યો હતો અને સાથોસાથ આ કામગીરીમાં સતતપણે રસીકરણની આ  કામગીરી કરતા આરોગ્ય શાખાની પીઠ થાબડી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે રાજકોટની જનતાના સાથ સહકારથી હંમેશ અગ્રેસર રહ્યું છે. ભવિષ્યમાં આ પ્રકારની જરૂરિયાત ઉભી થાય ત્યારે સરકાર મળતો રહેશે.

કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને રાજયની શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા નાના બાળકો માટે MR વેકસીનના આ ઉમદા કાર્ય માટે RMC અને જનતા તેમનો આભાર માને છે.

આ સેવાયજ્ઞની અંદર રાજકોટની તમામ સંસ્થાઓ-પ્રિન્ટ મીડિયા- ઈલે. મીડિયા, ધાર્મિક સંસ્થાઓ વિવિધ NGO, પ્રાઇવેટ તથા સરકારી સ્કુલના સંગઠનો અને તમામ ડોકટર્સએ IMA, પીડીયાટ્રિક એસોસિએશનનો વગેરે પ્રત્યે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરે આભારની લાગણી વ્યકત કરી છે.(૨૧.૨૮)

(4:05 pm IST)