Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ડો. ત્રાંબાવાડીયાની પુણ્યતિથિ નિમિતે દિવ્યાંગ બાળકો માટે સોમવારે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રવાસ

રાજકોટઃ તા.૫, ફ્રેન્ડસ કલબ રાજકોટ - સૌરાષ્ટ્ર ડેવલોપર્સ પ્રા.લી.ના સંયુકત ઉપક્રમે  સેવાના સારથી ડો. એમ કે ત્રાંબડીયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક ક્રાર્યક્રમ તથા ભોજન સમારંભનું આયોજન થયું છે. તા.૮ના સોમવારે સવારે ૯ થી ૨ સ્નેહનીર્ઝર આશ્રમ (યુનિ. રોડ બી.ટી. સવાણી સામે રાજકોટ) ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તા.૧ મંગળવારના સવારે દિવ્યાંગ બાળકોને પ્રવાસ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સ્વ. ડો.ત્રાંબડીયા યુવાનોેને વ્યસન મુકત કરવાના સિંધ્ધાતને વરેલા.  સ્મણાર્થે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉગ્ઘાટન પૂ. રજનીશગીરીબાપુ (ચોટીલા) ગજેન્દ્રસિંહ રાઠોડ, વિવેકભાઇ પરમાર, સુરેશભાઇ  ઓગણજા, હસમુખભાઇ બાંભણીયા, પ્રફુલભાઇ કાકરોટીયા ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા ફેન્ડ્રસ કલબના ચેરમેન ડો.મનીષ ગોસાઇ, વા. ચેરમેન જયેશ કતીરા, પ્રમુખ વજુભાઇ ગઢવી, મહામંત્રી વિપુલ રાઠોડ, મંત્રી ભરતભાઇ પિત્રોડા, સહમંત્રી રાજેશ ચુડાસમા, સમીર જાવીયા, સહમંત્રી જયપ્રકાશ પટેલ, ડો. અક્ષર પટેલ, ચંદુભાઇ પનારા, રમિલાબેન રાજયગુરૂ, ઉ.પ્રમુખ નિકીતાબેન પટેલ, એડવાઇઝર - ડો. એસ.ટી.પટેલ, રસિકભાઇ હિરાણી, સંદીપભાઇ વાડોદરીયા ડો.કેતનભાઇ ત્રાંબડીયા, કમલેશભાઇ ત્રિવેદી કૈલાશ, નકુમ  સુરેશભાઇ પટેલ, પ્રતીકભાઇ બછે, પ્રતીક ભટ્ટ જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:15 pm IST)