Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

હોમગાર્ડ વેલ્ફેર ફંડમાંથી સહાય

શહેર હોમગાર્ડ કચેરી દ્વારા હોમગાર્ડ કમાન્ડન્ટ જી.એસ.બારીયાના માર્ગદર્શન હેઠળ શહેર યુનિટ ખાતે માનદ સેવા આપતા સ્વ. રાજેન્દ્રસિંહ અમરસિંહ ચૌહાણનું સામાન્ય સંજોગોમાં કુદરતી અવસાન થતાં હોમગાર્ડઝ વેલ્ફેર ફંડમાંથી રૂ.૭પ,૦૦૦ અવસાન સહાય તેમજ રૂ. ર,પ૦૦ મરણોતર ક્રિયા ભથ્થાની સહાય મળી કુલ રૂ. ૭૭,પ૦૦ નો ચેક સ્વ.ના પત્ની ઉર્મિલાબા રાજેન્દ્રસિંહ ચૌહાણને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર હોમગાર્ડ કચેરીના સબ ઇન્સ્પેકટર ઇન્સ્ટ્રકટર એ.વી.પુરોહીત, સીનીયર કલાર્ક પી.બી.લાલુ, ઓફીસર કમાન્ડીગ જે.ડી.વ્યાસ, પ્લાટુન સાર્જન્ટ એસ.એ.ખફીફ, શિહોર યુનીટના ઓફીસર કમાન્ડીગ દેવેન્દ્રસિંહ ગોહિલ ઉપસ્થિત રહેલ હતા.

(3:50 pm IST)