Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

માવતરે જવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નિ મિરાનો ઝેર પી આપઘાત

રતનપર ગામમાં બનાવ : પુત્રીનો જન્મ થયાબાદ પિતા એમપીથી તેડવા આવતા પતિએ ન મોકલતા ઝઘડો થતા પરિણીતાએ પગલું ભર્યુ

રાજકોટ તા ૫  : રતનપર ગામ પાસે વાડીમાં રહેતી પરિણીતાને પતિએ માવતરે જવાની ના પાડતા ઝઘડો થતાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મધ્યપ્રદેશ જાંબુવાની વતની હાલ કુવાડવા નજીક રતનપર ગામમાં  રહેતી મીરા પરેશભાઇ ગણાવા (ઉ.વ.૨૩) એ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતક મીરાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા  હતા. થોડા દિવસ પહેલા તેણે દીકરીનો જન્મ થતા તેના પિતા એમ.પી. થી સાત દિવસ પહેલા મીરાને તેડવા માટે આવ્યા હતા, પરંતુ પરેશે થોડા દિવસ બાદ જવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થતા પરિણીતાએ પગલું ભર્યુ હોવાનું ખુલ્યું હતું. આ અંગે કુવાડવા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.કે.ઝાલા તથા રાઇટર અજીતભાઇ અને હરેશભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)