Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

પરીક્ષાઓ રદ કરવાનો સરકારનો સમયોચિત નિર્ણય : ગોવિંદભાઇ પટેલ

ધો. ૧૦ ના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી દયો

રાજકોટ તા. ૫ : કોરોનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ છે. છેલ્લા દોઢેક વર્ષથી શિક્ષણ કાર્ય અસ્ત વ્યસ્ત થયુ છે. આવી પરિસ્થિતિ ધ્યાને લઇ કેન્દ્ર સરકારે ધો.૧૦-૧૨ ની પરીક્ષા રદ કરવાનો લીધેલ નિર્ણય સુચારૂ અને આવકારને પાત્ર હોવાનું ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યુ છે.

ત્યારે સાથો સાથ ધો. ૧૦ ના રીપીટર વિદ્યાર્થીઓ કે જેઓ એક બે કે ત્રણ વિષયમાં ફેઇલ થયા હોય તેઓને પણ માસ પ્રમોશન આપી આગામી પરિણામોને ધ્યાને લઇ માર્કસ આપી પાસ કરવા નિવેદનના અંતમા ગોવિંદભાઇ પટેલે માંગણી ઉઠાવી છે.

(3:11 pm IST)