Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

વિશ્વ પર્યાવરણ દિવસ નિમીતે પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપણ

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી રાઠોડ, એસીપી બારીયા સહિતે કર્યુ વૃક્ષારોપણ

રાજકોટઃ આજે ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. લોકોએ વૃક્ષારોપણ કરી વૃક્ષોને ઉછેરવાની પ્રતિજ્ઞાઓ લીધી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચના મુજબ યોજાયો હતો. જેમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, હેડકવાર્ટરના એસીપી જી. એસ. બારીયા, એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ મયુર કોટડીયા, પીએસઆઇ એમ. એન. બોરીસાગર તેમજ પોલીસ હેડકવાર્ટરના સ્ટાફ દ્વારા હેડકવાર્ટરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

(3:02 pm IST)